google news

પુરગ્રસ્ત વેપારીઓને સહાય : CM ભૂપેન્દ્ર પટેલ કરી વેપારી માટે સહાયની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

પુરગ્રસ્ત વેપારીઓને સહાય : રાજ્યમાં નર્મદા અને ઔરસંગ નદીમાં પૂરનો મામલો, CM ભૂપેન્દ્ર પટેલ કરી વેપારી માટે સહાયની જાહેરાત, રેકડીવાળાઓને 5 હજાર, નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજાર, મોટી કેબિન ધારકોને 40 હજાર સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનો ધરાવનારને 85 હજાર સહાય, મોટી દુકાન પાકા બાંધકામ ધારકોને 20 લાખની લોન પર 3 વર્ષ 7 ટકા વ્યાજદરમાં સહાય, વધુમાં વધુ 5 લાખ સુધીની વ્યાજ સહાય મળશે.

પુરગ્રસ્ત વેપારીઓને સહાય 2023

ગુજરાતમાં 16 થી 18 સપ્ટેમ્બર ના રોજ ભરુચ, નર્મદા તેમજ વડોદરામાં થયેલ ભારે વરસાદને પગલે નાના અને મોટા ધંધાર્થીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકશાની થયેલ હોય તેવા લોકો માટે સરકાર દ્વારા પુરગ્રસ્ત વેપારીઓને સહાય આપવાનું નક્કી કરેલ છે. મુખ્યમંત્રીની આગેવાનીમાં એક બેઠક યોજાઇ હતી જેમાં નક્કી કરવામાં આવ્યુંકે નાના અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓને સહાય આપવાનું નક્કી કર્યું છે. અને જાહેરાત કરવામાં આવી છે. જેમાં રેકડી ધારકોને , નાની કેબિન ધારકો તેમજ મોટી કેબિન વાળા લોકોને જુદી જુદી સહાય આપવાનું નક્કી કરેલ છે.

જાણો કોને કેટલી મળશે સહાયતાની રકમ

લારી, રેકડી, નાની સ્થાયી કેબિન, મોટી સ્થાયી કેબિન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની દુકાન એટ્લે કે જે દુકાનનું બાંધકામ પાકું અને સ્થાયી માળખું ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત સરકાર દ્વારા સહાય આપવાની જહરત કરવાં આવી છે. તેમજ બેન્ક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે.

કેટલી સહાયતાની રકમ મળશે.

આ પુરગ્રસ્ત વેપારીઓને સહાય નીચે મુજબ મળવા પાત્ર છે.

પ્રકારસહાયની રકમ
લારી / રેકડીઉચ્ચક રોકડ સહાય રૂ. 5000
નાની સ્થાયી કેબિન ધારકો 40 ચોરસ ફૂટ સુધીનો વિસ્તારઉચ્ચક રોકડ સહાય રૂ. 20,000
મોટી સ્થાયી કેબિન ધારકો 40 ચોરસ ફૂટ કરતાં વધારે વિસ્તારઉચ્ચક રોકડ સહાય રૂ. 40,000
નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટ્લે કે પાકા બાંધકામ વાળી જેનું માસિક ટર્નઓવર (GST રિટર્ન પ્રમાણે) રૂ. 5 લાખ સુધીનું હોય.ઉચ્ચક રોકડ સહાય રૂ. 85,000
મોટી દુકાન એટ્લે કે પાકા બાંધકામ વાળી જેનું માસિક ટર્નઓવર (GST રિટર્ન પ્રમાણે) રૂ. 5 લાખથી વધારે હોય.રૂપિયા 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 % ના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય.

અરજી કરવાની રહેશે.

આ પુરગ્રસ્ત વેપારીઓને સહાય મેળવવા માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી જેવા આધારોને ધ્યાનમાં લઈને સહાય ચૂકવવામાં આવશે. આ સહાય મેળવવા માટે અસરગ્રસ્તોએ 31/10/2023 સુધીમાં મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સબંધિત પ્રાંત અધિકારી નીચે એક સમિતિની રચના કરવાંમાં આવશે. તેમજ જરૂરી આધાર પુરાવા સાથે આ અરજી કરવાની રહેશે.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો