google news

આજે અમદાવાદમાં અરિજિત સિંહ, સુખવિંદર અને શંકર મહાદેવન કરશે પરફોર્મ

IND Vs PAK World Cup 2023 : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ માં અરિજીત, સુખવિંદર અને શંકર મહાદેવન કરશે પરફોર્મ પ્રી મેચ અને મનોરંજન કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે.

IND Vs PAK World Cup 2023

India-Pakistan World Cup Match : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ વર્લ્ડ કપની મોટી રાઇવલરી ભારત-પાકિસ્તાનની મેચ યોજવાની છે. બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. એવામાં દર્શકોને લઈ એક ખાસ સમાચાર છે. અમદાવાદમાં અરિજીત, સુખવિંદર અને શંકર મહાદેવન કરશે પરફોર્મ પ્રી મેચ અને મનોરંજન કાર્યક્રમ બપોરે 12:30 વાગ્યાથી શરૂ થશે.

India-Pakistan World Cup Match 2023

India vs Pakistan: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા મારફતે સત્તાવાર જાહેરાત કરી હતી. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપ 2023ની 12મી મેચ પહેલા સેલિબ્રેશન કરવામાં આવશે. જેમાં ભારતના ત્રણ મોટા કલાકારો પરફોર્મ કરશે. બોલિવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ આ શોનો હિસ્સો હશે. અરિજીતની સાથે શંકર મહાદેવન અને સુખવિંદર સિંહ પણ પરફોર્મ કરશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા મારફતે ભારત-પાકિસ્તાન મેચ પહેલા પ્રદર્શન કરી રહેલા કલાકારોની માહિતી આપી હતી. BCCIએ X પર અરિજીત, શંકર મહાદેવન અને સુખવિંદરનો ફોટો શેર કર્યો છે. આ કલાકારો શનિવારે બપોરે 12.30 વાગ્યાથી પરફોર્મ કરશે. પ્રી-મેચ શોનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુનિયાભરમાંથી ચાહકો આવ્યા છે. આ મેચની ટિકિટો ઘણા સમય પહેલા વેચાઈ હતી.

ગિલને ODI World Cup 2023 શરુ થાય તે પહેલા ડેન્ગ્યુ થયો હતો. ત્યારબાદ તેને BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. તેને ચેન્નઈની એક હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ બે દિવસની અંદર તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચ પહેલા ભારતીય ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે જણાવ્યું હતું કે ‘ગિલ હવે ઠીક છે અને ખુબ ઝડપથી રિકવર કરી રહ્યો છે.’

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો