Connect with us

SarkariYojna

ધનતેરસ 2022: પૂજા મુહૂર્ત, ખરીદી મુહૂર્ત અને કઇ વસ્તુઓ ખરીદવી જોઇએ, જાણો સંપૂર્ણ માહિતી

Published

on

ધનતેરસ 2022: ધનતેરસ શનિવાર, 22-10-2022 ના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસ (૧૩) તિથિમાં પ્રદોષ કાળમાં ધનતેરસની પૂજા થાય છે. ધનતેરસના અવસર પર સોના, ચાંદી, આભૂષણ, વાસણ, વાહન, મકાન, પ્લોટ વગેરેની ખરીદી કરી શકાય છે. આ વર્ષે ધનતેરસ પર પૂજા અને ખરીદીનું શુભ મુહૂર્ત શું છે? જાણો સંપૂર્ણ માહિતી.

ધનતેરસ 2022 પૂજા મુહૂર્ત જાણો:

કાશી વિશ્વનાથ ઋષિકેશ પંચાંગ અનુસાર, તેરસ તિથિ 22 ઓક્ટોબર 2022, શનિવારે સાંજે 04:33 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે બીજા દિવસે 23 ઓક્ટોબર 2022, રવિવારે સાંજે 05:04 વાગ્યા સુધી રહેશે. કારતક કૃષ્ણની સાંજે તેરસ તિથિમાં ભગવાન ધન્વંતરીની સાથે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ પ્રદોષ કાળમાં તેરસની પૂજા કરવાનો સારો નિયમ છે. આવી સ્થિતિમાં, 22 ઓક્ટોબર 2022 ના રોજ ધનતેરસના દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બ્રહ્મ યોગમાં લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય સાંજે 06:21 થી 08:59 સુધીનો છે. આ શુભ સમયે પૂજા કરવી શ્રેષ્ઠ છે. આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ રાખવામાં આવે છે.

ખરીદી મુહૂર્ત જાણો:

આ વર્ષે, 22 ઓક્ટોબર 2022, ધનતેરસ પર ખરીદી માટેનો શુભ સમય સાંજે 07:03 થી શરૂ થશે, જે રાત્રે 10:39 સુધી છે. આ સ્થિર મુહૂર્ત દરમિયાન ખરીદી કરવી સારી ગણવામાં આવે છે. આ સમયે તમે ખરીદી કરે શકો છો.

ધનતેરસના દિવસે શું શું વસ્તુઓ ખરીદી શકાય?

ધનતેરસના દિવસે તમે માત્ર સોના, ચાંદી, ફૂલ, કાંસા, પિત્તળ અથવા તાંબાની વસ્તુઓ ખરીદવી જોઈએ. તે તમારા માટે ફાયદાકારક ગણાય. આ વર્ષે ધનતેરસ પર સ્ટીલના વાસણો ખરીદવાનું બને ત્યા સુધી ટાળવું જોઈએ કારણ કે સ્ટીલના વાસણો ખરીદીને ઘરે લાવવાથી શનિ તમારા સ્થાનમાં પ્રવેશ કરી શકે છે. એટલા માટે ઉપરની વસ્તુઓની ખરીદી કરી શકો છો.

ધનતેરસ 2022 ના દિવસે ધાતુની બનેલી વસ્તુઓ જ ખરીદો કારણ કે આમ કરવાથી તમારા ગ્રહો સારા રહે છે. ધનતેરસના દિવસે તમે તમારી રાશિ પ્રમાણે ધાતુઓ ખરીદી શકો છો. આવું કરવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે.

ધનતેરસ 2022 ના દિવસે બીજી કઇ વસ્તુઓ પણ ખરીદી કરી શકાય?

ધનતેરસ 2022 ના દિવસે સાવરણી ખરીદવી એ પણ લોકો માટે શુભ ગણાય છે કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાવરણી નકારાત્મકતાને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મકતા વધારે છે. જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લક્ષ્મી (પ્રભુતા)નો વાસ હોય છે. સાવરણી સિવાય તમે લક્ષ્મી યંત્ર, કુબેર યંત્ર, લક્ષ્મી-ગણેશની મૂર્તિ, માતા લક્ષ્મીના પગના નિશાન વગેરે પણ ખરીદી શકો છો.

નોંધ – Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. માહિતીએપ તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

મહત્વપૂર્ણ કડીઓ

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
ધનતેરસ 2022
ધનતેરસ 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending