આજે 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલાં ગઈકાલે એટલે કે શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2000 રૂપિયાની 96%થી વધુ નોટો બેંકમાં પાછી આવી છે, વધુ માં તેમણે જણાવ્યુ હતું કે હાલમાં લગભગ 12 હજાર કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં છે, જે શુક્રવારના આંકડા મુજબ પરત આવવાની બાકી છે.
RBIએ 7 ઓક્ટોબર 2023 સુધી નોટો બદલવાની સમયમર્યાદા લંબાવી
આ અગાઉ 30 સપ્ટેમ્બર 2023 એટલે કે, આ 2000 નોટ બદલવાનો છેલ્લો દિવસ હતો. પણ હવે આ નોટ બદલવા માટે આપને વધારે સમય મળી ગયો છે, જેમાં આપ નોટો બદલવાનો 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’
આ પણ વાંચો- Jio એ 3 નવા પ્રી-પેડ પ્લાન લૉન્ચ કર્યા, અમર્યાદિત 5G ડેટા, મફત SonyLiv અને Zee5 સહિત મળશે ઘણા લાભો
વર્ષ 2016માં 2000ની નોટ બજારમાં આવી હતી
રૂપિયા 2000 ની નોટ નવેમ્બર 2016માં સૌ પ્રથમ બજારમાં આવી હતી. આ 2000ની નોટ ત્યારે આવી હતી જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમની જગ્યાએ નવી પેટર્નમાં રૂ.500 અને રૂ.2000ની નવી નોટો જાહેર કરવામાં આવી હતી.
રિઝર્વ બેંકે તેના પરિપત્રમાં સામાન્ય લોકોને 2000 નોટ જમા કરાવવા અથવા બદલવાનું કામ કોઈપણ વિલંબ વિના પૂર્ણ કરવાની સલાહ પણ આપી હતી. આજે 7 ઓક્ટોબર 2000 રૂપિયાની નોટ સામાન્યથી લઈને ખાસ કોઈપણ બેંકમાં જમા અથવા બદલી શકશે.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.