google news

PM Modi આવી રહ્યા છે કેવડિયા ગુજરાત, જાણો ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?

PM Modi : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ગુજરાત આવવાના છે. આ વખતે પીએમ મોદી કેવડિયા ખાતે એકતા પરેડમાં હાજરી આપશે. કેવડિયા ખાતે વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

PM Modi આવી રહ્યા છે કેવડિયા ગુજરાત

પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે. પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2022માં એકતા પરેડમાં હાજરી આપીને દિપાવ્યો હતો. આ વર્ષે પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

એકતા પરેડ

31 ઓક્ટોબરે કેવડિયા કોલોનીમાં એકતા પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એકતા પરેડમાં સી.આઈ.એસ.એફ, બી.એસ.એફ, ગુજરાત પોલીસ, એન.સી.સી, દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કલ્ચરલ પ્રોગ્રામ માટે એકતા નગર ખાતે અનેક કલાકારો પણ પહોંચશે.

એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ

ગયા વર્ષે પહેલીવાર એરફોર્સ દ્વારા એકતા પરેડ દરમિયાન એર શૉ પણ કરવામાં આવ્યો હતો. કલ્ચરલ પ્રોગ્રામમાં ગુજરાતના ગરબા, કથક નૃત્ય અને પંજાબના ભાંગડા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો