google news

Chandrayaan 3 Mission : હવે ચંદ્ર પર પહોંચવામાં આટલું જ અંતર બાકી, લેન્ડિંગની તૈયારીઓ પૂર્ણ

Chandrayaan 3 Mission : ISRO એ ચંદ્રયાનને ચંદ્રની સપાટીની નજીક લાવવા માટે આજે ચોથું ચારણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચંદ્રયાન 3 થી ચંદ્રનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે. હવે ચંદ્રયાન ચંદ્રથી માત્ર 153KM x163 KM દૂર છે.

ભારતની સ્પેસ એજન્સી ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે. અત્યાર સુધી ચંદ્રયાન-3 દરેક સ્તરે સફળ રહ્યું છે અને તે 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની સપાટી પર ઉતરશે. જો ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરશે તો ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. ભારત પહેલા અમેરિકા, રશિયા અને ચીને આ કારનામું કર્યું છે.

ISRO એ ચંદ્રયાનને ચંદ્રની સપાટીની નજીક લાવવા માટે આજે ચોથું ચારણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચંદ્રયાન 3 થી ચંદ્રનું અંતર ઘણું ઓછું થઈ ગયું છે. હવે ચંદ્રયાન ચંદ્રથી માત્ર 153KM x163 KM દૂર છે. ચંદ્રયાન મિશનની આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ISRO એ આગળના મહત્ત્વપૂર્ણ તબક્કાની તૈયારી પણ શરૂ કરી દીધી છે જ્યારે ગુરુવારે બપોરે 1:08 વાગ્યે લેન્ડર વિક્રમને પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરવામાં આવશે. 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ત્રીજી વખત બદલવામાં આવી છે. 

ચંદ્રની સપાટી પર ઉતરાણ માટે સંપૂર્ણ તૈયારી

ચંદ્રયાનને પૃથ્વીની બહાર લઈ જવા અને તેને ચંદ્રની નજીક લાવવામાં પ્રોપલ્શન મોડ્યુલની ભૂમિકા સૌથી મહત્ત્વની છે. લેન્ડર વિક્રમને ચંદ્રની 100KMx100 KM ભ્રમણકક્ષામાં સેટ કર્યા પછી, પ્રોપલ્શન મોડ્યુલ આવતીકાલે બપોરે લેન્ડર વિક્રમથી અલગ થઈ જશે અને તે પછી લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવાની યાત્રા નક્કી કરશે. લેન્ડરની અંદર જ પ્રજ્ઞાન રોવર છે, જે લેન્ડરની સાથે જ ચંદ્રની સપાટી પર ઉતરશે.  

લેન્ડિંગ 23 ઓગસ્ટે થશે

તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ સાંજે લગભગ 5.47 વાગ્યે, ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ પહેલા, વિક્રમ લેન્ડરને 30KMx100 KMની ભ્રમણકક્ષામાં ચંદ્રની નજીક લાવવામાં આવશે, ત્યારબાદ લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની ચંદ્ર સાથેની મુલાકાતની ફાઇનલ યાત્રા શરુ થશે.  

જેમ જેમ ચંદ્રયાન-3 મિશન આગળ વધી રહ્યું છે તેમ, ISRO ‘ચંદ્રયાન-3’ની ભ્રમણકક્ષાને ધીમે ધીમે ઘટાડવા માટે સતત કવાયત કરી રહ્યું છે. 16 ઓગસ્ટના રોજ 100 કિમીની ભ્રમણકક્ષા સુધી પહોંચાડવા માટે ભ્રમણકક્ષામાં ફરી એકવાર ઘટાડો કરવામાં આવશે. 

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો