google news

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ,સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ ચીનમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં સરકાર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.તેવામાં સમગ્ર દેશમાં પ્રશાસન કામે લાગ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં થતાં કાર્યક્રમો પર પણ સરકાર નજર રાખી રહ્યા છે.સરકારે પણ લોકોને માસ્ક પહેરવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. 

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ

વિશ્વભરમાંથી તેમજ દેશના અન્ય ભાગો માંથી મોટી સંખ્યામાં લોકો ગુજરાતમાં અમદાવાદ શહેર ખાતે આવી રહ્યા છે.તેવામાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સરકારની સૂચનાને અનુલક્ષીને બીએપીએસ સંસ્થા દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. અને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે.

અહીં આવતા ભાવિ ભક્તો માટે બીએપીએસ સંસ્થા દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ અંગે અમલીકરણ પણ કરી દેવામાં આવ્યો છે. 

અમલીકરણ થતાંની સાથે જ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરીને અનુસરતા જોવા મળી રહ્યા છે. તેવામાં બીએપીએસ સંસ્થા દ્વારા તમામ પ્રકારની સાવચેતી માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે,નીચે પ્રમાણેની ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જ ભક્તો દ્વારા અનુસરવાની રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 

  • 1. ઉત્સવની સેવામાં રોકાયેલા તમામ સ્વયંસેવકો માટે માસ્ક પહેરવાનું ફરજિયાત છે, તેમજ તહેવારની મુલાકાત લેનારા તમામ મુલાકાતીઓને પણ માસ્ક પહેરવા વિનંતી કરવામાં આવે છે. ઉત્સવ સ્થળ – પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.
  • 2. તહેવાર મોટાભાગે ખુલ્લો અને વિશાળ છે, તેથી સામાજિક અંતર જાળવીને તહેવારનો લાભ લો.
  • 3. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળો. નમસ્કારનો જ આગ્રહ રાખો.
  • 4. શરદી, તાવ, ઉધરસથી પીડિત વ્યક્તિએ તહેવારમાં ન આવવું જોઈએ.
  • 5. વૃદ્ધાવસ્થા અને નબળા સ્વાસ્થ્ય અથવા સહ-રોગના લક્ષણો (હૃદય રોગ, બીપી, ડાયાબિટીસ, કિડની રોગ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડ કરવાનું ટાળવું જોઈએ.
  • 6. હવેથી વિદેશથી તહેવારમાં આવનારા ભક્તોએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને ડોક્ટરની સલાહ લેવી પડશે.
  • 7. તહેવારમાં દરેક જગ્યાએ સ્વચ્છ ટોયલેટ બ્લોક રાખવામાં આવે છે, ત્યાં સાબુ અને સ્કેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવે છે. તેનો ઉપયોગ કરો અને સમયાંતરે તમારા હાથ સાફ કરતા રહો.
  • 8. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), આરોગ્ય મંત્રાલય, ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય, ગુજરાત સરકારની સૂચનાઓ અનુસાર, કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ. જો રસીનો કોઈ ડોઝ બાકી હોય, તો શક્ય તેટલી વહેલી તકે લો. આ સાથે, સરકાર અને જાહેર આરોગ્ય સંસ્થાઓની માર્ગદર્શિકા અનુસાર, તે સમયે જનહિત માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

pramukh swami maharaj shatabdi mahotsav sardar patel ring road ognaj ahmedabad gujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો