google news

17 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

17 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 17/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 17/07/2022

ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? વગેરે.

Gujarat Gyan Guru Quiz Questions Bank 17/07/2022

17 July School Quiz Bank Question No. 1 To 125

  • 1. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?
  • 2. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?
  • 3. મોરિંગા ઓલિફેરા સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે ?
  • 4. ભારત સરકારના ડેરી સહકાર મંત્રાલય દ્વારા આરંભાયેલ ડેરી સહકાર યોજના કયા મહાપુરુષના જન્મદિન નિમિત્તે દેશને સમર્પિત કરવામાં આવી ?
  • 5. ગુજરાતના કયા જિલ્લાનો હાફૂસ કેરીનો પાક વખણાય છે ?
  • 6. આપેલ પૈકી કયું બળતણ સૌથી સસ્તું છે ?
  • 7. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કેટલા વિજ્ઞાન સમુદાય કેન્દ્રો ખોલવામાં આવ્યાં છે ?
  • 8. SCOPEની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  • 9. વિદ્યાર્થીઓને ટોકન દરે ટેબલેટ આપવાની યોજના કઈ છે ?
  • 10. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકકક્ષાની તમામ લેખિત પરીક્ષાઓ માટે ગુજરાત સરકારનાં ધારાધોરણો મુજબ શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓને કેટલો વધુ સમય આપવામાં આવે છે ?
  • 11. અલ્પ સાક્ષરતા કન્યાનિવાસી શાળા યોજનામાં વિદ્યાર્થીઓને માસિક કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
  • 12. નીચેનામાંથી કઈ શૈક્ષણિક પદ્ધતિ વધુ ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થી કેન્દ્રિત છે ?
  • 13. પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કુપોષણનિવારણ માટેની યોજના કઈ છે ?
  • 14. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
  • 15. શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનું વડું મથક પંચમહાલ જિલ્લામાં ક્યાં આવેલું છે ?
  • 16. MGVCLનું પૂરું નામ શું છે ?
  • 17. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જીનો સમાવેશ કઈ ઊર્જામાં થાય છે ?
  • 18. ગુજરાતના કયા વિસ્તારમાં વિન્ડ મિલ વધુ પ્રમાણમાં જોવા મળે છે ?
  • 19. વિશ્વના પ્રથમ કેનાલ ટોપ સોલાર પાવર પ્રૉજેક્ટનું ઉદ્ઘાટન કોણે કરેલ છે ?
  • 20. કિસાન સૂર્યોદય યોજનાનો ગુજરાત રાજ્યમાં કોના દ્વારા આરંભ કરવામાં આવ્યો છે ?
  • 21. ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના બીજા કયા નામથી ઓળખાય છે ?
  • 22. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના કોણે શરૂ કરી છે ?
  • 23. GSTનો એક ઉદ્દેશ શું છે ?
  • 24. જુલાઈ 2022ની સ્થિતિએ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 20 રૂપિયામાં કેટલા લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળે છે ?
  • 25. PSUનું પૂરું નામ શું છે ?
  • 26. ભારતમાં રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત કયા ક્ષેત્રમાં છે ?
  • 27. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. ગુજરાત સરકાર દ્વારા જન્‍માષ્‍ટમી તથા દિવાળીના તહેવારો દરમ્‍યાન કયા કાર્ડધારકોને પ્રતિ કાર્ડ એક લિટર તેલનું રાહતદરે વિતરણ કરવામાં છે ?
  • 29. સૂર્યદેવને સમર્પિત કોણાર્ક સૂર્યમંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  • 30. ગુજરાતમાં કુલ કેટલાં વર્લ્ડ હેરિટેજ સ્થળ આવેલાં છે ?
  • 31. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ જન્મથી જ અંધ હતા ?
  • 32. ભારતીય ઉપખંડમાં પહેલું શહેર કઈ નદીના કિનારે પાંગરેલું હતું ?
  • 33. વિશ્વમાં વસતા ગુજરાતીઓ અને વિદેશીઓ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લે તેવા શુભ આશયથી ગુજરાતમાં કઈ પોલિસી બનાવાઈ છે ?
  • 34. માતૃશ્રાદ્ધ માટે ગુજરાતમાં કઈ જગ્યાનો મહિમા છે ?
  • 35. રાજ્યના 50 વિકાસશીલ તાલુકાના NFSA હેઠળ સમાવિષ્ટ AAY, BPL, APL-1 અને APL-2 રેશનકાર્ડધારક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે શેના વિતરણની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે ?
  • 36. નીચેનામાંથી કયું સ્થળ ચિકનકારી (એમ્બ્રોઈડરીની પરંપરાગત કળા) માટે પ્રખ્યાત છે ?
  • 37. ઐતિહાસિક નવલકથા ‘જય સોમનાથના લેખકનું નામ શું છે ?
  • 38. ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?
  • 39. માંગલ્ય વનનો વિસ્તાર કેટલો છે ?
  • 40. કયા ‘વન’માં વાંસના વિવિધ ઉત્પાદનો છે ?
  • 41. રતનમહાલ સ્લોથ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
  • 42. ગુજરાતના નવસારી જિલ્લામાં કયું રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ?
  • 43. ગુજરાતના અમરેલી જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 44. ખીજડિયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 45. ગુજરાતી ભાષામાં પ્રસારણ રજૂ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
  • 46. ગ્લોબલ વોર્મિંગની અસરથી ક્યા સ્ફિયરના તાપમાનમાં વધારો થાય છે ?
  • 47. કઈ પર્યાવરણીય ઘટના CFC સાથે જોડાયેલી છે ?
  • 48. વીર મેઘમાયા બલિદાન’ પુરસ્કાર યોજનાની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવેલ હતી ?
  • 49. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 50. ઘરેલું જોખમી કચરાને અલગ કરવા કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે ?
  • 51. નીચેનામાંથી કઈ દવા તાવના કિસ્સામાં લેવામાં આવે છે ?
  • 52. પ્રારંભિક ગર્ભાવસ્થાના જોખમો કયા છે ?
  • 53. નીચેનામાંથી કયું વિધાન રક્તદાન માટે સાચું છે ?
  • 54. નીચેનામાંથી કઈ સેવા આરોગ્યસેવા વ્યવસ્થાપન કેન્દ્ર (એચએસએમસી) દ્વારા પૂરી પાડવામાં આવે છે ?
  • 55. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ?
  • 56. નીચેનામાંથી કયું નિવેદન શાળા આરોગ્ય કાર્યક્રમ માટે સાચું છે ?
  • 57. સ્વસ્થ ભારત મોબાઇલ એપ્લિકેશન માટે કઈ બાબતો લાગુ પડે છે ?
  • 58. એલર્જીના કારણે કયો રોગ થાય છે ?
  • 59. ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી ?
  • 60. ગુજરાત રાજ્ય હેન્ડલૂમ અને હસ્તકલા વિકાસ નિગમની સ્થાપના માટે શા માટે કરવામાં આવી હતી ?
  • 61. SFURTIનું પૂરું નામ શું છે ?
  • 62. બેંકિંગ, વીમા અને મૂડી બજારોમાં આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું ભારતનું પહેલું ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC) કયું છે ?
  • 63. ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટરનું સંચાલન કોના હસ્તક છે ?
  • 64. વાદળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?
  • 65. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે ?
  • 66. કારીગરોના સમૂહને વ્યાવસાયિક રીતે સંચાલિત અને સ્વ-નિર્ભર સામુદાયિક સાહસમાં સમાવીને ભારતીય હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ કઈ યોજનાનો છે ?
  • 67. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ કયાં આવેલી છે ?
  • 68. મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ?
  • 69. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?
  • 70. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો પ્રારંભ કયા વર્ષમાં થયો હતો ?
  • 71. ગુજરાત સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેન્દ્ર શરૂ કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 72. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજના અંતર્ગત કયો લાભ મળે છે ?
  • 73. તાજેતરમાં જાહેર થયેલી ભારત સરકારની કઈ યોજનાથી દેશસેવાનો ઉમદા અવસર યુવાનોને પ્રાપ્ત થશે ?
  • 74. અનુસૂચિત જાતિના લોકોને બેન્કમાં લોન લીધા વગર સ્વરોજગારી મેળવવા ટૂલ કીટ આપતી ગુજરાત સરકારની યોજના કઈ છે ?
  • 75. યુવાનોને રોજગાર પૂરો પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનો પ્રારંભ ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો હતો ?
  • 76. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ બેરોજગાર નાગરિકોને રોજગારીની તક પૂરી પાડવાનો છે ?
  • 77. મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના કયા રાજયની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે ?
  • 78. ભારતના વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે ?
  • 79. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કયા મતવિસ્તારમાંથી વિધાનસભાના પ્રતિનિધિ સભ્ય છે ?
  • 80. ગુજરાતમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?
  • 81. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
  • 82. કયો પ્રૉજેક્ટ ગુજરાતના શહેરોમાં મફત Wi-Fi પ્રદાન કરે છે ?
  • 83. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કોની સાથે સંબંધિત છે ?
  • 84. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે ?
  • 85. નીચેનામાંથી કયો રોગ પાણીના પ્રદૂષણને કારણે થાય છે ?
  • 86. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
  • 87. કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલાં છે ?
  • 88. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?
  • 89. સાંસદ આદર્શ ગ્રામયોજના ક્યારથી અમલમાં આવી ?
  • 90. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?
  • 91. ગુજરાતમાં ગરીબકલ્યાણ મેળાનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે?
  • 92. કઈ યોજનાનો હેતુ ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત, આર્થિક રીતે સ્થિર અને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે ?
  • 93. ગુજરાતમાં ‘મિશન મંગલમ્’ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ?
  • 94. PM -KISAN સમ્માનનિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 95. પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના કયારે શરૂ કરવામાં આવી હતી ?
  • 96. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 97. મહાત્મામંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
  • 98. સિંધુ ખીણની સંસ્કૃતિના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળો પૈકીનું એક લોથલ કયા જિલ્લામાં આવેલું છે ?
  • 99. કંડલા બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
  • 100. દાંડી પુલ ક્યાં આવેલો છે ?
  • 101. વર્ષ 2021માં ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીનું લોકાર્પણ કોણે કર્યુ હતું ?
  • 102. PM ગતિ શક્તિ શું છે ?
  • 103. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ શો છે ?
  • 104. RRTS નું પૂરું નામ શું છે ?
  • 105. ભારતનું સૌથી મોટું માછલીઘર કયું છે ?
  • 106. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
  • 107. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
  • 108. શ્રેષ્ટા (SHRESHTA) યોજનાના લાભાર્થીઓ કોણ છે ?
  • 109. GATE/GPAT/CAT/CMAT/GRE/IELTS/TOFEL દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા SC અને ST વિદ્યાર્થીઓ માટે કઈ યોજના છે ?
  • 110. એમ-યોગ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 111. મિશન સાગર યોજનાના મિશન-૩ હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં વિનાશક પૂર પછી કયા ભારતીય જહાજ દ્વારા રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી ?
  • 112. કોવિડ રાહત અંતર્ગત ચોખાનો જથ્થો પોર્ટ એન્જોઆન, કોમોરોસમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો ?
  • 113. CMSSનું પૂરું નામ જણાવો.
  • 114. પાણી પહોંચાડવું દુર્ગમ હતું તેવા વિસ્તારોમાં સરકારશ્રીની કઈ યોજના મારફત ઘર ઘર પાણી પહોંચતુ થયું ?
  • 115. ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?
  • 116. 8મી માર્ચને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?
  • 117. સગર્ભા અને ધાત્રી માતાઓની પોષણ સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજનાનો અમલ થયેલ છે ?
  • 118. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન અને બાળઆરોગ્ય અંગે જાણકારી આપવામાં આવે છે ?
  • 119. ડૉ. આંબેડકર સરકારી કન્યા છાત્રાલય દ્વારા કઈ સહાય પૂરી પાડવામાં આવે છે ?
  • 120. PURNA પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
  • 121. ગુજરાત સરકારમાં પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ?
  • 122. હરીજરી કલા વિકસાવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
  • 123. ભારતના સૌથી નાની વયના ચૂંટાયેલ અંધ ગુજરાતી મહિલા સરપંચનું નામ આપો.
  • 124. ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક કોણ હતાં ?
  • 125. રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 17 જુલાઈ 2022

17 July Collage Quiz Bank Question No. 1 To 125

  • 1. PMFBY (પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના) ભારત સરકારે કયા વર્ષથી અમલમાં મૂકી છે ?
  • 2. કઈ યોજનાથી ગુજરાતનો ખેડૂત વિશ્વના સંપર્કમાં આવ્યો ?
  • 3. ભારતમાં પીએમ કિસાન યોજના કયા વર્ષથી કાર્યરત થઈ છે ?
  • 4. ગુજરાત રાજ્યમાં ઈન્ડો-ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ કયા સ્થળે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો કાર્યરત કરવામાં આવ્યું છે ?
  • 5. ગુજરાતમાં ગીર ગાય અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
  • 6. ગુજરાત રાજ્યમાં મત્સ્યોદ્યોગ ખાતા માટેનું માછીમારી બોટનુ રજિસ્ટ્રેશનનું વેબ બેઝ પોર્ટલ કયું છે ?
  • 7. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?
  • 8. ધોરણ 10માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે કઈ યોજના અંતર્ગત દર મહિને રૂ. 15,000 મળી શકે ?
  • 9. ફિલેટલી (શોખ તરીકે સ્ટેમ્પ્સમાં યોગ્યતા અને સંશોધનના પ્રોત્સાહન માટે શિષ્યવૃત્તિ)ને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
  • 10. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મેરિટના આધારે અપાતી ચીફ મિનિસ્ટર્સ સ્કોલરશિપ સ્કીમનું સંક્ષિપ્ત રૂપ કયું છે ?
  • 11. ઇનોવેશનને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ વ્યાપ વધારવા કોલેજોમાં શેની રચના કરવામાં આવી છે ?
  • 12. MBBS કરતી વિદ્યાર્થિનીઓને આર્થિક સહાય કરવાની યોજના કઈ છે ?
  • 13. SSIP નીતિના વધુ સારા અમલીકરણ અને લાભો માટે ગુજરાત સરકાર દ્વારા SSIP હેઠળ કયા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ?
  • 14. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે ?
  • 15. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 700 મેગા વોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?
  • 16. ભારતમાં પવન ઊર્જાના ઉત્પાદનમાં બીજું સૌથી મોટું રાજ્ય કયું છે ?
  • 17. કોને એનર્જી એફિશિયન્ટ યુનિટ તરીકે ઊર્જા વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટતા માટેનો CII રાષ્ટ્રીય પુરસ્કાર-2013 મળ્યો હતો ?
  • 18. સોલાર ચરખા મિશનનો શુભારંભ કોણે કર્યો હતો ?
  • 19. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક કયાં આવેલો છે ?
  • 20. PFMSને લાગુ કરનાર કચેરીનું નામ જણાવો.
  • 21. જો કોઈ એકમ એક જ રાજ્યમાં એકથી વધુ શાખાઓ ધરાવતું હોય, તો બધી જ શાખાઓ માટે GST નોંધણીનો શો નિયમ છે ?
  • 22. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?
  • 23. અટલ પેન્શન યોજના અંતર્ગત 6 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?
  • 24. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
  • 25. ગુજરાત સરકાર દ્વારા તા 31/01/2022ની સ્થિતિએ નોવેલ કોરોના વાઈરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમયાન આરોગ્ય વિભાગના સંક્રમિત થયેલ કોરોના વોરિયર્સના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
  • 26. મોઢેરા સૂર્યમંદિરનું  નિર્માણ સોલંકી વંશના કયા રાજાએ કર્યું હતું ?
  • 27. ગાંધીનગરના સંસ્કૃતિકુંજ ખાતે યોજાયેલા વર્ષ 2020ના 25મા વસંતોત્સવની થીમ શી હતી ?
  • 28. મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?
  • 29. ચરકુલા નૃત્ય કયા રાજ્યમાં ભજવાય છે ?
  • 30. માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદગુરુનો જીવનકાળ ક્યો છે ?
  • 31. જંગલ વિસ્તારમાં રહેતા કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજના અંતર્ગત કુટુંબદીઠ દરવર્ષે કેટલા વાંસ આપવામાં આવે છે ?
  • 32. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ ક્યાંથી મળશે ?
  • 33. બાયોગેસ/સોલર કુકર વિતરણ યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે ?
  • 34. ગ્રામ વન ઉછેર યોજના અન્વયે વાવેતરમાંથી સ્થાનિક લોકો કયી કિમતે લઈ જઈ શકે છે ?
  • 35. વિરાસત વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
  • 36. જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રી, સામાજિક વનીકરણ વિભાગને અરજી આપ્યેથી ગ્રામ પંચાયતોને કેટલા રોપાની વિનામૂલ્યે ફાળવણી કરવામાં આવે છે ?
  • 37. ભારતમાં, ગુજરાતનાં મેન્ગ્રોવ આવરણ કયા નંબર પર છે ?
  • 38. ISFR રિપોર્ટ હેઠળ નીચેનામાંથી શેનું મૂલ્યાંકન કરાય છે ?
  • 39. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?
  • 40. ભારતમાં લુપ્ત (Extinct-Ex) કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?
  • 41. કયા સમયગાળા દરમિયાન તમામ ખાદી ગ્રામોદ્યોગ ભવનો લોકોને વિવિધ ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટ આપે છે ?
  • 42. NAPCCનું પૂરું નામ શું છે ?
  • 43. NAMO ટેબ્લેટ કોને આપવામાં આવે છે ?
  • 44. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?
  • 45. નીચેના પૈકીનું કયું સ્થળ ગુજરાત સરકાર દ્વારા ઇકો કેમ્પ સાઈટ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?
  • 46. કયો વિભાગ હોમગાર્ડઝની પ્રવ્રૃત્તિને માર્ગદર્શન આપે છે ?
  • 47. ભારતીય નૌ સેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 48. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?
  • 49. RKSKનું પૂરું નામ આપો.
  • 50. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો ?
  • 51. ભારતમાં સ્વદેશી અને વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીના શિક્ષણ, સંશોધન અને પ્રસાર માટે કયું મંત્રાલય જવાબદાર છે ?
  • 52. એનિમિયામુક્ત ભારત કાર્યક્રમ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ?
  • 53. ગર્ભાવસ્થા અને ડિલિવરી સેવાઓ સંબંધિત પ્રશ્નો માટે આપણે કોનો સંપર્ક કરવો જોઈએ ?
  • 54. કયા વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે ?
  • 55. કેટલા વર્ષ સુધી બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવાનાં રહે છે ?
  • 56. રોગી કલ્યાણ સમિતિનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
  • 57. મુક્ત વેપારનીતિમાં કઈ બાબત મહત્ત્વની હોય છે ?
  • 58. ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત ખાતે નીચેના પૈકી કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે ?
  • 59. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
  • 60. દેશમાં ડેનિમના ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન છે ?
  • 61. બેલાડિલા શેના માટે પ્રખ્યાત છે ?
  • 62. નીચેનામાંથી કયા રાજ્યમાં હટ્ટી સોનાની ખાણ આવેલી છે ?
  • 63. નીચેનામાંથી કયા શહેરની ઔદ્યોગિક વસાહતમાં મેડીકલ વાન કાર્યરત છે ?
  • 64. ભારત સરકારની સ્ટાર્ટ-અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમથી કેવો લાભ મળવાપાત્ર છે ?
  • 65. ગુજરાત સરકારે ઈ-શ્રમ પોર્ટલ ઉપર નોંધણી માટે કઈ એજન્સીને શ્રમિક સહાયતા કેન્દ્ર તરીકે જાહેર કરી છે ?
  • 66. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવનજ્યોતિ બીમા યોજના હેઠળ કેટલું કવચ પૂરું પાડવામાં આવે છે ?
  • 67. ગુજરાત સરકાર દ્વારા સક્ષમ- KVK 2.0′ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 68. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાનોમાં જરૂરી કૌશલ્યના વિકાસ માટેનું સ્કિલ ઇન્ડિયા મિશન ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
  • 69. ગુજરાત સરકાર દ્વારા ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ કામદારની દીકરીને એનાયત કરાયેલા બોન્ડને કોણ વટાવી શકે છે ?
  • 70. કયો અધિનિયમ સિવિલ એરક્રાફ્ટનું ઉત્પાદન, કબજો, ઉપયોગ, સંચાલન, વેચાણ, આયાત અને નિકાસ અને એરોડ્રામના લાઇસન્સનું નિયમન કરે છે ?
  • 71. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સ્થાપના ક્યારે કરવામાં આવી ?
  • 72. મંજૂરી વિના સંસદમાં કેટલા દિવસની ગેરહાજરી પછી સંસદસભ્યને ગેરલાયક ઠેરવી શકાય ?
  • 73. ભારતમાં કયા પ્રકારનો સમાજવાદ છે ?
  • 74. રાજ્યના રાજ્યપાલને કેવી રીતે હટાવી શકાય ?
  • 75. સાંસદ આદર્શ ગ્રામ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 76. PANનો અર્થ શું છે ?
  • 77. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?
  • 78. અર્બન વાઇફાઇ અંતર્ગત wifi hotspotનું નામ શું છે ?
  • 79. અટલ ભુજલ યોજના ક્યારે શરૂ કરવામાં આવી ?
  • 80. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને કઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે ?
  • 81. કઈ સિંચાઈ પ્રથા મહત્તમ જળ સંરક્ષણ તરફ દોરી જાય છે ?
  • 82. કયા રાજ્યમાં વાંસ-ટપક-સિંચાઈ પદ્ધતિ પ્રચલિત છે?
  • 83. કડાણા જળાશય અને નર્મદાના વધારાના પૂરના પાણીને ગુજરાતમાં પાણીની અછતવાળા વિસ્તારોમાં વાળવા માટે કઈ કેનાલની સ્થાપના કરવામાં આવી છે ?
  • 84. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?
  • 85. ગામડાઓમાં પાણી પુરવઠાને માપવા અને મોનિટર કરવા માટે ભારત સરકાર દ્વારા કઈ પ્રકારની આધુનિક ટેકનોલોજી આધારિત સિસ્ટમ મૂકવામાં આવી છે ?
  • 86. માર્ચ 2022થી શરૂ થયેલા સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેટલા લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું ?
  • 87. જામનગર કઈ નદીના કિનારે આવેલ છે ?
  • 88. શહેરી વિસ્તારમાં મળતી સગવડો ગ્રામ્ય કક્ષાએ મળે તે હેતુથી કયું મિશન કાર્યરત છે ?
  • 89. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ?
  • 90. સ્વામિત્વ (SVAMITVA) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 91. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ તીર્થ ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે ?
  • 92. ઈ-ગ્રામ સ્વરાજ એ શું છે ?
  • 93. મુરમુગાવ બંદર કયા રાજ્યમાં આવેલું છે ?
  • 94. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
  • 95. સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ગુજરાતમાં કયા સ્થળે થયું હતું ?
  • 96. ભારત સરકારની કઈ પહેલ હેઠળ વંદે ભારત એક્સપ્રેસની ડિઝાઈન અને ઉત્પાદન ચેન્નઈના પેરામ્બુર ખાતે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (આઈસીએફ) દ્વારા કરવામાં આવ્યું હતું ?
  • 97. મહાત્મા ગાંધીના જીવન અને ઉપદેશો પર બનેલ સૌથી મોટું અને એકમાત્ર મ્યુઝિયમ કયું છે ?
  • 98. વ્યક્તિગત સુખાકારીને જાળવવાના અથવા વધારવાના ધ્યેય સાથે સંકળાયેલી મુસાફરી અને આનંદ અથવા વ્યવસાય માટે મુસાફરી કરતી વખતે શારીરિક, માનસિક, આધ્યાત્મિક અથવા પર્યાવરણીય સુંદરતાની શોધનો સમાવેશ થાય છે.’ તેનુ નામ ક્યું છે ?
  • 99. ભારતનો સૌથી લાંબો રોડ બ્રિજ કયો છે ?
  • 100. મહાત્મા મંદિરના તમામ સેમિનાર હોલની કુલ બેઠક ક્ષમતા કેટલી છે?
  • 101. FASTagનું સમગ્ર સંચાલન કોણ કરે છે ?
  • 102. નીચેનામાંથી કયો મુખ્ય કોરિડોર માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવતો નથી?
  • 103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
  • 104. ભારતના ચાર મહાનગરો વચ્ચેનો સમય અને અંતર ઘટાડવા માટે કયો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો છે ?
  • 105. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગ જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે છે ત્યારે કેટલી સહાય મળવા પાત્ર છે ?
  • 106. કઈ સમિતિ/કમિશને ઉચ્ચ શિક્ષણમાં પસંદગી આધારિત ક્રેડિટ સિસ્ટમની ભલામણ કરી હતી ?
  • 107. કઈ યોજના થકી બાળકીનાં માતાપિતાના ખાતામાં પૈસા જમા કરાવવા પર વધારે વ્યાજ દર મળે છે ?
  • 108. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?
  • 109. નોકરીના સંદર્ભમાં OJASનું પૂરું નામ શું છે ?
  • 110. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
  • 111. MYSY યોજના અંતર્ગત સરકારમાન્ય સંસ્થાના ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?
  • 112. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?
  • 113. ઇન્સ્ટ્રુમેન્ટલ આસિસ્ટન્ટ ફોર મેડિકલ, ઇજનેરી, ડિપ્લોમા સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ લઈ શકે છે ?
  • 114. અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીનાં બાળકોના શિક્ષણ માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?
  • 115. મેડિકલ, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી, પોલિટેક્નિકલ, લો, એમબીએ, બાયોસાયન્સ વગેરે અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને મોંઘાં પુસ્તકો ખરીદવાં ન પડે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
  • 116. કયા પોર્ટલ પર રમતવીર-ખેલાડી તેમની સિદ્ધિઓ અપલોડ કરી શકે છે જેનાથી તેઓને સરકારી યોજનાઓનો લાભ મળી શકે ?
  • 117. હિરોલા જૂથ પાણી પુરવઠા યોજના ક્યા જિલ્લામાં કાર્યરત છે ?
  • 118. મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ વિદ્યાર્થીઓને પ્રતિમાસ અભ્યાસની સાથે કેટલા રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળે છે ?
  • 119. ખેલો ઈન્ડિયા- 2022 અંતર્ગત 10 મી. એરરાઈફલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક વિજેતા મહિલા ખેલાડીનું નામ આપો.
  • 120. નારી અદાલતમાં ન્યાય મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?
  • 121. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાની સહાય મેળવવા માટે કેટલા દિવસ પૂર્વે આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી પડે છે ?
  • 122. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?
  • 123. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?
  • 124. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?
  • 125. જયોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?

મહત્વપૂર્ણ લિંક

પ્રેસ નોટ જુઓઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ પરિપત્ર વાંચોઅહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશનઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો કઈ તારીખ ના છે ?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં પુછાયેલા પ્રશ્નો 17 જુલાઈ 2022ના છે

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

સ્ટેપ 1- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 પર ગૂગલ પર સર્ચ કરો.
સ્ટેપ 2- “www.g3q.co.in” વેબસાઇટ પર જાઓ.
સ્ટેપ 3- રજીસ્ટ્રેશન ટેબ પર જાઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is g3q.co.in

17 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
17 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો