Connect with us

SarkariYojna

LICની આ સ્કીમની દેશમાં ધૂમ: 15 દિવસમાં વેચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી, ફાયદા જાણી તમે પણ આજે જ ખરીદી લેશો!

Published

on

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) ની જીવન આઝાદ પોલિસીને સારો પ્રતિસાદ મળ્યો છે. LIC એ લોન્ચ થયાના 10-15 દિવસમાં 50 હજાર જીવન આઝાદ પોલિસી વેચી છે. એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે વર્ચ્યુઅલ પ્રેસ મીટ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. જીવન આઝાદ પોલિસી એ નોન પાર્ટિસિપેટિંગ વીમા સ્કીમ છે. એલઆઈસીએ તેને જાન્યુઆરી 2023માં લોન્ચ કર્યું હતું. LIC તમામ ઉંમરના લોકો માટે સ્કીમ ચલાવે છે. દેશના લાખો લોકોએ LICની તમામ યોજનાઓમાં રોકાણ કર્યું છે.

મળશે ગેરેન્ટી રિટર્ન

જીવન આઝાદ યોજનામાં પ્રીમિયમ ભરવાની મુદત માઈનસ 8 વર્ષ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ રોકાણકાર 18 વર્ષની પોલિસી મુદતના વિકલ્પની પસંદગી કરે છે, તો વ્યક્તિએ માત્ર 10 વર્ષ (18-8) માટે જ પ્રીમિયમ ચૂકવવું પડશે. મેચ્યોરિટી પર પોલિસીની રકમ એકસાથે ચૂકવવાની ખાતરી આપે છે. આ પોલિસીમાં લઘુત્તમ વીમાની રકમ 2 લાખ રૂપિયા છે અને મહત્તમ વીમાની રકમ 5 લાખ રૂપિયા છે. આ પોલિસી 15 થી 20 વર્ષ માટે લઈ શકાય છે.

કોણ લઈ શકે છે આ પોલિસી ?

ધારો કે, કોઈ 30 વર્ષનો વ્યક્તિ 18 વર્ષ માટે જીવન આઝાદ સ્કીમ લે છે. 2 લાખની વીમા રકમ માટે તે 10 વર્ષ માટે 12,038 રૂપિયા જમા કરે છે. પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં, ‘બેઝિક સમ એશ્યોર્ડ’ અથવા પોલિસી લેતી વખતે પસંદ કરાયેલા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા નોમિનીને ચૂકવવામાં આવશે. જો કે, તેના માટે શરત એ છે કે મૃત્યુની તારીખ સુધી ચૂકવવામાં આવેલ કુલ પ્રીમિયમ 105 ટકાથી ઓછું ન હોવું જોઈએ.

LIC પોલિસી માટે સંપર્ક કરો

NiravKumar Patel +91 9924626778

90 દિવસથી 50 વર્ષની વય જૂથની વ્યક્તિ આ યોજનામાં રોકાણ કરી શકે છે. એલઆઈસીની આ યોજના લેનાર પોલિસીધારક વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક ધોરણે પ્રીમિયમ ચૂકવી શકે છે. પોલિસી ધારકોને પાકતી મુદત પૂરી થવા પર ગેરેન્ટીડ રિટર્ન મળે છે.

knowing the benefits LIC scheme
knowing the benefits LIC scheme

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending