હિંદુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ છે. દરેક ઘરમાં સવારની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે. તે જ સમયે, ઘણા ઘરોમાં દરરોજ પૂજામાં નારિયેળનો પણ સમાવેશ થાય છે. નારિયેળ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી.
હિંદુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ છે. દરેક ઘરમાં સવારની શરૂઆત ભગવાનની પૂજાથી થાય છે. તે જ સમયે, ઘણા ઘરોમાં દરરોજ પૂજામાં નારિયેળનો પણ સમાવેશ થાય છે. નારિયેળ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી, તેથી લગ્ન હોય કે ગૃહપ્રવેશ અને હવન-કથા, તમામ કાર્યક્રમોમાં નારિયેળ અવશ્ય હાજર રહે છે. જો કોઈના ઘરમાં નવી વસ્તુ આવી રહી હોય તો પણ તેની પૂજા નારિયેળથી જ કરવામાં આવે છે. પૂજામાં મહિલાઓ આગળ હોય છે, પરંતુ તેમ છતાં તેઓ નારિયેળ વધેરી શકતી નથી. આખરે મહિલાઓ માટે નારિયેળ વેધરવુ શા માટે વર્જિત માનવામાં આવે છે. જાણો તેની પાછળનું કારણ અને નારિયેળનું મહત્ત્વ.
સ્ત્રીઓએ નાળિયેર કેમ ન વધેરવું જોઈએ?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, નારિયેળ એક બીજ છે અને સ્ત્રીઓ બીજમાંથી બાળકને જન્મ આપે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં મહિલાઓને નારિયેળ વધેરવાની મનાઈ છે. કહેવાય છે કે જો કોઈ મહિલા નારિયેળ વાઢેરે છે તો તેને પછીથી ગર્ભવતી થવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની સાથે જ બાળકોના જીવનમાં સમસ્યાઓ પણ આવી શકે છે. બીજી માન્યતા અનુસાર, નારિયેળમાં ત્રિદેવ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ)નો વાસ હોવાનું માનવામાં આવે છે. આ કારણથી પણ નારિયેળને મહિલાઓથી દૂર રાખવામાં આવે છે અને તેને વધેરવાની મનાઈ હોય છે.
નાળિયેરનું મહત્ત્વ
દેવી-દેવતાઓને નારિયેળ અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન નારાયણ પૃથ્વી પર અવતર્યા ત્યારે તેઓ પોતાની સાથે ત્રણ વસ્તુઓ લાવ્યા- લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુ. આ ત્રણેય વસ્તુઓ વ્યક્તિ માટે જરૂરી છે. નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી તરફ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને નારિયેળ ખૂબ પ્રિય છે, તેથી પૂજામાં નારિયેળનો ઉપયોગ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. અહીં એક વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર નારિયેળ અથવા નારિયેળ જળ ચઢાવવું વર્જિત માનવામાં આવે છે.
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.