Connect with us

SarkariYojna

હવામાન વિભાગની આગાહી સાચી પડી : વલસાડ, સુરત અને અંકલેશ્વરમાં વરસ્યો કમોસમી વરસાદ

Published

on

હવામાન વિભાગની આગાહી સાચી પડી : હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે સવારથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોરે 1 વાગ્યાની આસપાસ એકાએક કાળાદિબાંગ વાદળો છવાયા હતા. વાવઝોડા સાથે ગાજવીજ અને વિજળીના કડાકા ભડાકા સાથે ચોમાસું બેઠું હોય તેમ વલસાડ, નવસારી , ભરૂચ , અંકલેશ્વર અને સુરતના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયો વરસ્યો હતો.

હવામાન વિભાગની આગાહી સાચી પડી

વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થઈ ઊઠ્યાં હતા. વલસાડના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ઝાપટું પડતાં રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વરસાદને પગલે પશુપાલકોનો ઘાસચારો પલળી ગયો હતો. વલસાડ, નવસારી, ભરૂચ અને સુરતમાં અંદાજિત 2 થી 5 મિનિટ સુધી છાટાં પડ્યાં બાદ વરસાદ બંઘ થઈ ગયો હતો.

કમોસમી વરસાદે હોળી પર્વની ઉજવણીને લગાવ્યું ગ્રહણ

તો, બીજી બાજુ વલસાડ, વાપી, ઉમરગામ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો. હોળીના તહેવાર પર જ કમોસમી વરસાદ થતાં હોળી પર્વના આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી. હોળી પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરેલી હોળીના લાકડા સહિતની સામગ્રી થઈ ભીની થઇ જવાની ચિંતાને પગલે તેને બચાવવા બાળકો અને આયોજકોએ હોળીને પ્લાસ્ટિકથી ઢાંકવા દોડધામ થઇ ગઈ હતી.

અંકલેશ્વરમાં સમગ્ર પંથકને અસ્તવ્યસ્ત કરી નાખ્યું

અંકલેશ્વર – માં માત્ર પાંચ જ મિનિટમાં વાવાઝોડા એ સમગ્ર અંકલેશ્વર પંથકને અસ્તવ્યસ્ત કરી નાખ્યું, ભર ઉનાળે વરસાદી વાતાવરણ , અંકલેશ્વર પંથકમાં ઠેર ઠેર બેનરો ધરાશાય થયા, લારી ગલ્લા ધારકો ને વ્યાપક નુકશાન

હવામાન વિભાગની આગાહી સાચી પડી
હવામાન વિભાગની આગાહી સાચી પડી

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending