google news

7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં, કેન્દ્રીય બજેટ 2023 ની સૌથી મોટી ભેટ

7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં, કેન્દ્રીય બજેટ 2023 ની સૌથી મોટી ભેટ આ બજેટનો ઉદ્દેશ્ય આર્થિક વિકાસને વેગ આપવા, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો કરવાનો છે. સરકારનું ધ્યાન ભારતને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા અને સમાજના નબળા વર્ગોને સમર્થન આપવા પર હતું.

7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. જેમાં 3 લાખ સુધી 0% ટેક્સ, 3 થી 5 લાખની આવક પર 5% ટેક્સ, 6 થી 9 લાખની આવક પર 10% ટેક્સ, 9 થી 12 લાખની આવક પર 15% ટેક્સ અને  12 થી 15 લાખની આવક પર 20% ટેક્સ લાગશે. 

નાણામંત્રીએ કહેલી મહત્વની બાબતો

  • ટેક્સ સ્લેબમાં મોટી રાહત, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • આવકવેરા રિટર્નનો સરેરાશ પ્રોસેસિંગ સમય 93 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવ્યો છે.
  • 2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
  • કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
  • પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
  • પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
  • ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
  • 2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
  • માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
  • બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
  • આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે
  • હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
  • 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
  • કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
  • રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
  • રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે
  • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
  • કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે.
  • આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
  • ડિજિલોકરમાં આધાર કાર્ડ માન્ય રહેશે
  • દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
  • નિષ્ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્ડ સ્કીમ લાવવામાં આવશે
  • ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
  • 5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
  • ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
  • આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
  • MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
  • વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે
  • નગર નિગમ તેમના બોન્ડ લાવી શકશે
  • KYCની પ્રક્રિયા સરળ બનાવાશે અને ડિજિલોકરના દસ્તાવેજો માન્ય રહેશે
  • લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે
  • જંતુનાશક માટે 100 બાયો ઇન્પુટ સેન્ટર બનશે
  • વૈકલ્પિક ખાતરો માટે નવા યોજનાઓ
  • ​​​​​​​એક લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત.
  • નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.
  • પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ
  • ​​​​​​​47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશે
  • ​​​​​​​પ્રદૂષણ ફેલાવનારા વાહનોને હટાવાશે
  • ​​​​​​​બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છે
  • રોકાણકારોના હિતો પર ભાર અપાશે
  • ​​​​​​​ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યું
  • IFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશે
  • ​​​​​​​RBI એક્ટમાં પણ બદલાવ કરાશે
  • ​​​​​​​મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ
  • વડીલો માટે બચતની સીમા 15 લાખથી વધારીને 30 લાખ કરાઈ
  • રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે
  • ​​​​​​​ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી
  • ​​​​​​​કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે
  • ​​​​​​​ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે
  • ​​​​​​​2 લાખની બચત પર 7.5 ટકા વ્યાજ મળશે
  • ​​​​​​​દેશી કિચન ચીમની મોંઘી બનશે
  • ​​​​​​​વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી
  • ​​​​​​​બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે
  • ​​​​​​​રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય
  • બ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો
  • ​​​​​​​3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત
  • ગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી
  • ​​​​​​​રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા
  • ​​​​​​​રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે
  • ​​​​​​​ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
  • ​​​​​​​કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવ.

પ્રતિ વ્યક્તિ બમણી આવક થઈ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, તે વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. જે અન્ય દેશો કરતાં વધુ મજબૂત છે.

અમે સતત અપડેટ કરી રહ્યા છે…..

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો