google news

ખુશખબર / આ લોકોને નહીં ભરવું પડે ઈનકમ ટેક્સ, બજેટ પહેલા સરકારે આપી આ ગુડ ન્યૂઝ

Income Tax Slab: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ નોકરી કરતા લોકોને ટેક્સમાં કોઈ રાહત આપશે કે નહીં તેના પર સૌની નજર રહેશે. પરંતુ બજેટ પહેલા નાણામંત્રીએ વરિષ્ઠ નાગરિકોને મોટી ભેટ આપી છે. તેના માટે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકોને આપેલા વચનને પૂર્ણ કરતા નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ટ્વીટમાં શું કહેવામાં આવ્યું

ટ્વીટ મુજબ, 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, જેમની આવકના સ્ત્રોત તરીકે માત્ર પેન્શન અને બેંક વ્યાજ છે, તેમને રાહત મળશે. આ સિવાય તેમને ઈન્કમ ટેક્સ ભરવાની કોઈ જરૂર રહેશે નહીં. ઈનકમ ટેક્સમાં રાહતને લઈને બજેટ 2022 પહેલા ચર્ચાનો રાઉન્ડ ચાલી રહ્યો છે. નોકરિયાત લોકો ઈનકમ ટેક્સના સ્લેબમાં રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તે પહેલા વૃદ્ધો માટે સારા સમાચાર આવ્યા છે.

ટેક્સમાં મળશે છૂટ

ટ્વીટમાં નાણા મંત્રાલયે જણાવ્યું કે 75 વર્ષથી વધુ ઉંમરના વડીલોને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. તે લોકોને રાહત આપવામાં આવશે જેમની આવક પેન્શન અથવા બેંકોના વ્યાજ છે. તેના માટે સરકારે ઈન્કમ ટેક્સ એક્ટમાં એક નવું સેક્શન ઉમેર્યું છે. 75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને લાભ આપવા માટે, ઈનકમ ટેક્સ અધિનિયમ, 1961ના નિયમોમાં સુધારો કરીને નવી કલમ કલમ 194-P ઉમેરવામાં આવી છે. આ સુધારા અંગે બેંકોને પણ જાણ કરવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે જણાવ્યું છે કે તેના સંબંધિત ફોર્મ અને શરતો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ સાથે ટેક્સના નિયમ 31, નિયમ 31A, ફોર્મ 16 અને 24Qમાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. નાણા મંત્રીએ 2022ના બજેટમાં પણ આ અંગે જાહેરાત કરી હતી. હવે જે બેંકમાં વૃદ્ધોનું એકાઉન્ટ હશે, તે જ બેંક તેમની આવક પર જે પણ ટેક્સ હશે તે કાપી લેશે. ટેક્સ રિટર્નમાં મુક્તિ માટે, વરિષ્ઠ નાગરિકોએ ફોર્મ 12BBA ભરીને બેંકમાં સબમિટ કરવું પડશે.

These people do not have to pay income tax
These people do not have to pay income tax

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો