વિદ્યાસહાયક ભરતી 2023 , તાપી આશ્રમશાળા ભરતી 2023 આદિજાતિ વિકાસ વિભાગ માન્યતા પ્રાપ્ત અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજય ગાંધીનગર અનુદાનિત તાપી જિલ્લામાં આવેલી નીચે મુજ્બની આશ્રમશાળા ઉ.બુ.આશ્રમશાળાઓમાં વિધાસહાયક શિક્ષણ સહાયકની ભરતી માટે મદદનીશ કમિશ્નર આવિ.તાપી દ્વારા પત્ર.નં.આવિ મક એન.ઓ.સી./૨૦૨૨-૨૩/૫૦૭ થી ૫૩૧ તા.૧૫/૨/૨૦૨૩ તથા ૫૩૮ થી ૫૭૨ તા.૧૫/૨/૨૦૨૩થી “ નાં વાંધા પ્રમાણપત્ર “ મુજબ ગુજરાતી માધ્યમના વિધાસહાયક શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થાય છે.વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે , પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે
આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2023
સંસ્થાનું નામ | તાપી આશ્રમ શાળા |
પોસ્ટનું નામ | વિધાસહાયક અને શિક્ષણ સહાયક |
કુલ જગ્યા | 61 |
છેલ્લી તારીખ | જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 21/02/2023 ) |
અરજી મોડ | રજીસ્ટર એ.ડી.થી |
પોસ્ટનું નામ
- વિધાસહાયક અને શિક્ષણ સહાયક
આ પણ વાંચો : નવસારી આશ્રમ શાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન
શૈક્ષણિક લાયકાત
- બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ ,પી.ટી.સી
ઉંમર મર્યાદા
- જાહેરાતમાં ઉલ્લેખિત નથી.
અરજી ફી
- ત્યાં કોઈ અરજી ફી નથી.
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
તાપી આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?
- ઉપર દર્શાવેલ વિદ્યાસહાયક / શિક્ષણસહાયક માટે ઉમેદવારો પાસેથી આશ્રમશાળા મુજ્બ અલગ અલગ લાયકાત ધરાવનારનુ પુરેપુરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઇડી પ્રૂક સાથે સ્વ પ્રમાણિત કરેલ એચ.એસ.સી./પી.ટી.સી./સ્નાતક બી.એડ (જાહેરાત પ્રમાણે લાગુ પડતી લાયકાત પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફકત રજિ.એડી.દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી દિન-૧૦ સુધીમાં મંગાવવામાં આવે છે. જેમના C.G.P.A. દર્શાવેલ છે. તેમણે કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી માર્કસનું પ્રમાણપત્ર રજુ કરવું.
- જાહેરાતમાં દર્શાવ્યા મુજબ TAT-1માપ્યમિક વિભાગ માટે અને વિદ્યાસહાયકમાટે ધોરણ ૧ થી ૫ TET-1 અને ધોરણ-૬ થી ૮ માટે TET-2 ફરજિયાત પાસ કરેલ હોવી જોઇએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવો મુજબની જોગવાઇ મુજબ રહેશે.
- અધુરી વિગતવાળીતવા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારોની અરજીઓ રદ થવા પાત્રરહેશે.
- આશ્રમશાળાઓ નિવાસીશાળાઓ હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજીયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે.
- અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
- શિક્ષણ વિભાગ ગુ.રા. ગાંધીનગર ના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગતા.૧૯/૨/૨૦૧૯ મુજબ શિક્ષણ સહાયક રૂ.૨૫૦૦૦/-(અંકે રૂપિયા પચીસ હજાર પુરા)માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. અને વિદ્યાસહાયક ને રૂ।.૧૯૯૫૦ (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ પુરા)માસિક ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂરા કર્યા બાદ પૂરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
- સરકારશ્રીના ધારા-ધોરણ વખતો વખતનાં ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલા પણ શિક્ષણ સહાયક સેવા અને વિદ્યાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
- આશ્રમશાળા ૫૦ ટકા કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે, તેથી મહિલા શિક્ષિકાઓએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે અને કુમારો માટે શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરિજયાત ફરજ નિભાવવાની રહેશે.
- માન.કમિશ્નર આદિજાતી વિકાસ કચેરી ગુ.રા. ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ આશા/ફા.ને ૨૩૩૦/૨૦૧૯/૨૦૨૦ થી ૨૦૬૦ તા.૩૦/૧૧/૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
- કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
- ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઇ આશ્રમશાળા માટે અરજી અને કથા વિષય માટે કરેલ છે. તે સ્પષ્ટ લખવાનું ગૌણ વિષયો બી.એડ.ની રહેશે. સાદી ટપાલથી રૂબરૂ કે મુદત કરતાં મોડી આવેલ અરજી સ્વીકારાશે નહીં. શિક્ષણ સહાયકની જાહેરાત મુજબ મુખ્ય અને મેથડ માં હોવા જોઇએ.
- ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા),તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીનેમોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા)ને અરજી મોકલશે અને મંડળને નિર્હ મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
- ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઇ પણ ઉમેદવાર નિમણૂક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
- સરકારી અનુદાનિત બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
- પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નિર્ણય આખરી રહેશે.
મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
આ પણ વાંચો : મારુ ગુજરાત ભરતી 2023, હાલમાં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
અરજી મોકલવાનું સરનામું :
- ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી(આશ્રમશાળા),તાપી જિલ્લા સેવા સદન, બ્લોક.નં.૪ પાનવાડી વ્યારા જિ.તાપીને મોકલવાની રહેશે.જો કોઇ ઉમેદવાર ફક્ત આ.વિ.અ.(આશ્રમશાળા) ને અરજી મોકલશે અને મંડળને નિર્હ મોકલશે તો અરજી રદ થવાપાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
તાપી આશ્રમશાળા ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
- જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રસિદ્ધ (જાહેરાત પ્રકાશિત થવાની તારીખ 21/02/2023 )
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
તાપી આશ્રમશાળા ભરતી 2023 મહત્વપૂર્ણ લિંક :
આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાત | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
તાપી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
આશ્રમશાળા તાપી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. (જાહેરાત તારીખ 21/02/2023 ) છે.
તાપી આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.