Trending
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના
સરકારશ્રી Sankat Mochan Kutumb Sahay Yojana અંતર્ગત ગરીબ પરિવારોને જ્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ નો કુદરતી કે અકસ્માત દ્વારા મૃત્યુ થાય ત્યારે તેમના પરિવાર ની ઉપર બહુ જ મોટી આફત આવી ચડે છે એવા સંજોગોમાં સરકાર દ્વારા રૂપિયા 20,000/- ની સહાય Sankat Mochan Kutumb Sahay Yojana દ્વારા તે કુટુંબને આર્થિક સહાય કરવામાં આવે છે
લાભ કોણ લઈ શકે
ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે
આ યોજના હેઠળ કુટુંબના પરિવારને મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તેમનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય
કેટલો લાભ મળી શકે
- કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તો રૂપિયા ૨૦ હજારની સહાય
- અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં પણ રૂપિયા ૨૦ હજારની સહાય
- રૂપિયા 20,000/-ની સહાય ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે
- આ અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10 હજારની સહાય આપવામાં આવતી હતી તારીખ 15-2-2014 ના ઠરાવથી રકમ વધારીને રૂપિયા ૨૦,૦૦૦ કરવામાં આવી છે
લાભ કોને મળશે
- B.P.L. સ્કોર ૦ થી ૨૦ ના આવતા લોકો
- કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય તેમનું મૃત્યુ, અકસ્માત કે કુદરતી સંજોગોમાં થાય ત્યારે તેમની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને 70 વર્ષથી ઓછી હોવી જોઈએ
- મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે
- આ યોજના હેઠળ સહાય ની પાત્રતા માટે અરજદાર ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ B.P.L. લાભાર્થી હોવો જોઈએ
- અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેઓની ગ્રામ પંચાયતમાં નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકા કચેરીમાં B.P.L. લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ
લાભ ની પ્રક્રિયા
- અકસ્માત પામનાર વ્યક્તિ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામ ની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે
- મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઇપણ એક જ વ્યક્તિ કે અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અને કુટુંબના તમામ સભ્યો ની સંમતિ આપવી પડે છે આ સહાય કુટુંબના દરેક સભ્ય અને અલગ-અલગ મળવાપાત્ર નથી
- આ યોજના હેતુ માટે કુટુંબ ની વ્યાખ્યા માં પતિ પત્ની, સગીર બાળકો, અપરણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતા નો સમાવેશ થાય છે
અરજી કેવી રીતે કરવી
- શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે
- ગ્રામ પંચાયત વિસ્તાર માટે આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે
- મહાનગર પાલિકા વિસ્તાર માટે કમિશનર મહાનગરપાલિકાની કચેરી માં U.C.D. શાખામાં અરજી કરવાની રહેશે
- આ યોજના હેઠળ સહાય મંજુર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળી રહેશે
નીચે મુજબના પુરાવા સાથે જોડવાના રહેશે
- મરણનો દાખલો
- મૃત્યુ પામનાર વ્યક્તિનું જન્મનું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- વારસાઈ નો દાખલો
- બેંક પાસબુક
- 0 થી 20 સ્કોર નું B.P.L.કાર્ડ નો દાખલો
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in