google news

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર, ખેલૈયાઓ ગરબા રમતા પહેલા જરૂર વાંચજો

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર : આજે તા. 26 સપ્ટેમ્બર થી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજ્યના વિવિધ સ્થળે નવરાત્રીના આયોજન હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે.

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ

  • નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ
  • નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની મંજૂરી
  • 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે

ખેલૈયાઓની નારાજગીને લઇ રજૂઆત નવરાત્રી ( Navratri 2022 ) ને હવે ગણતરીના દિવસો બાકી છે. ઠેરઠેર આયોજકો દ્વારા ગરબાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રી ( Navratri 2022 ) માં સરકારની ગાઈડલાઈન પ્રમાણે રાત્રે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવામાં આવતા હોય છે. જેને લઈને ખૈલેયાઓમાં નારાજગી જોવા મળતી હોય છે. આ બાબતોને ધ્યાન રાખી કેટલાક આયોજકો દ્વારા વડોદરાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને રાખી આજે માંજલપુરના ધારાસભ્ય દ્વારા ગૃહપ્રધાન હર્ષ સંઘવી ( Vadodara MLA Yogesh Patel request to Harsh Sanghvi ) ને આ અંગે રજૂઆત ( Demand to increase Garba playing time in Navratri ) કરવામાં આવી હતી.

નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર
નવરાત્રી અંગે સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

શું કહ્યું હર્ષ સંઘવી એ?

ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.

રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે ગરબા

નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

વિધર્મીને કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે

વિધર્મીને કોઈ પણ ગરબામાં પ્રવેશ આપવામાં નહીં આવે વિદ્યર્મીઓને લઈને તેમણે જણાવ્યું કે, કોઈ વિદ્યર્મીને કોઈપણ ( Navratri 2022 ) ગરબામાં પ્રવેશ આપવામાં નહી આવે. કારણકે ઘણી જગ્યાએ કપાળ પર ચાંદલા કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. આ વાત મને એમ લાગે છે કે ઉભી કરેલી છે. આ અંગે મારી તમામ આયોજકો સાથે વાત થઈ ગઈ હોવાથી આવી કોઈ ઘટના નહીં બને અને છતાં જો બનશે તો તેના પર આયોજકોની નજર રહેશે.

Source : latestyojana Website

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો