google news

ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણય

ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણયST વિભાગ દ્વારા આવતી 19થી 24 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા રૂટની વધારાની 2300 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો

ગુજરાતમાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે વતનમાં જવા માટે મુસાફરોને હાલાંકી ન ભોગવવી પડે તે માટે ST વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી તહેવારના દિવસોને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા આવતી 19થી 24 ઓક્ટોબર દરમિયાન જુદા જુદા રૂટની વધારાની 2300 જેટલી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે અને મુસાફરોને હાલાંકીનો સામનો કરવો પડે છે ત્યારે હવે ઘસારાને પહોંચી વળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં દિવાળીની રાજાઓ દરમિયાન મુસાફરો પોતાના વતનમાં જવા માટે STનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તહેવારને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા મસાફરો માટે ખાસ સુવિધા મળી રહે તે માટે વધુ બસો દોડાવવામાં આવશે. રાજ્ય માર્ગ પરિવહન વિબાગ દ્વારા વધારાની બસો દોડવાની જાહેરાત કરવામાં આવતા આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી મુસાફરોને કોઈપણ જાતની તકલીફ ન રહે તે માટે મુસાફરો માટે આ નિર્ણય ખુબ જ સારો છે.

એસટીની સૌરાષ્ટ્ર તરફ જતી બસો વધુ દોડાવવામાં આવશે

નોંધનીય છે કે અમદાવાદ, સુરત, વડોદરાથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોની સંખ્યા ખુબ જ વધુ હોય છે ત્યારે દિવાળીના વેકેશનમાં વતનમાં જવા માટે ખુબ જ ઘસારો જોવા મળે છે. આ માટે એસટી નિગમ દ્વારા તારીખ 19 થી 24 દરમિયાન વધારાની 2300 બસો દોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ એસટી વિભાગ દોડાવશે 700 બસો 

એસટી દ્વારા 2300 બસો દોડાવવાનો નિર્ણય કર્યો હોય જેમાંથી એકલા અમદાવાદ વિભાગમાંથી 700 જેટલી બસો દોડાવવામાં આવશે જયારે સુરત ડિવિઝનમાંથી 1550 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફથી દોડતી બસોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત વડોદરા તેમજ અન્ય ડિવિઝનમાંથી પણ વધુ બસો દોડાવવામાં આવશે. રાજકોટમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે બધું બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારને લઈને ખુબ જ વધુ મહત્વ હોય જે માટે અમદાવાદ, સુરત, વડોદરા તરફથી રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર તરફ જવા માટે ખુબ જ ભીડ રહેતી હોય છે ત્યારે આ નિર્ણયને કારણે મુસાફરોને આશિંક રાહત મળશે.

ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણય
ગુજરાત STએ દિવાળીના તહેવારને લઈને મુસાફરો માટે લીધો મહત્વનો નિર્ણય

મહત્વપૂર્ણ લિંક :

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો