Connect with us

SarkariYojna

ટિપ્સ / બેંક એકાઉન્ટમાંથી ગાયબ ન થઈ જાય તમારા રૂપિયા, આ સાયબર સેફ્ટી ટિપ્સને જરૂર ફોલો કરો

Published

on

Cyber Safety Tips: ઈન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઈમના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારા બેંક એકાઉન્ટને છેતરપિંડી કરનારાઓથી સુરક્ષિત રાખવા માટે કેટલીક ટીપ્સનું પાલન કરવું જરૂરી છે.

આજે અમે કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરીને તમે તમારા એકાઉન્ટમાં જમા રૂપિયા સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ તેના વિશે.

જો તમે રૂપિયાની લેવડ-દેવડ કરવા માટે પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો, તો આવું કરવાનું ટાળો. આમ કરવાથી, તમારી માહિતી હેકર્સના હાથમાં આવી શકે છે.

તમારી અંગત વિગતો જેમ કે બેંક એકાઉન્ટ નંબર, નેટ બેન્કિંગ પાસવર્ડ, OTP, ATM PIN વગેરે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.

પબ્લિક Wi-Fi તેમજ પબ્લિક કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું ટાળો. આ તમારી અંગત માહિતી ચોરી શકે છે.

ધ્યાનમાં રાખો કે તમારું નેટ બેંકનું કામ પૂર્ણ કર્યા પછી, તમારે તમારો વેબ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરી દેવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે તમારી બેન્કિંગ વિગતો સુરક્ષિત રહેશે.

જો કોઈ વ્યક્તિ તમને લકી ડ્રો, કેવાયસી વગેરેના નામ પર ફોન કરે છે અને પર્સનલ ડિટેલ્સ માગે છે, તો તેને આ માહિતી બિલકુલ ન આપો.

ધ્યાનમાં રાખો કે તમારું નેટ બેંકનું કામ પૂર્ણ કર્યા પછી, તમારે તમારો વેબ બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરવી ખૂબ જ જરૂરી છે. તેની સાથે તમારી બેન્કિંગ ડિટેલ સુરક્ષિત રહેશે.

ઉલ્લેખનીય છે કે જેમ જેમ ડિજિટલાઈજેશન વધી રહ્યું છે, તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના કેસો પણ સામે આવી રહ્યાં છે. આ અંગે બેંકો દ્વારા પણ સમયાંતરે ચેતવણી આપવામાં આવે છે. જેમ કે કોઈ અજાણી વ્યક્તિ સાથે તમારા એટીએમનું પિન શેર ન કરો, કોઈની સાથે ઓટીપી શેર ન કરો, અજાણી વ્યક્તિ સાથે તમારી બેંક ડિટેલ શેર ન કરો. આ પ્રકારની ચેતવણી બેંક દ્વારા આપવામાં આવે છે. 

બેંક એકાઉન્ટમાંથી ગાયબ ન થઈ જાય તમારા રૂપિયા
બેંક એકાઉન્ટમાંથી ગાયબ ન થઈ જાય તમારા રૂપિયા

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending