Connect with us

SarkariYojna

6.5 કરોડ લોકો માટે આ મેસેજ છે, કે EPFO તમને ક્યારેય ફોન કરતું નથી, જાણો સંપૂર્ણ વિગત

Published

on

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ તેના 6.5 કરોડ સભ્યોને એલર્ટ કર્યા છે. EPFO પોતે નોકરી કરતા લોકો માટે કપાયેલી પીએફની રકમનું સંચાલન કરે છે. તેથી જો તમે તેના સભ્ય છો, તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. EPFO તેના સભ્યોને છેતરપિંડીથી બચાવવા માટે સતર્ક છે. કારણ કે EPFOના નામે છેતરપિંડીના મામલા સામે આવ્યા હતા. સાયબર અપરાધીઓ EPFOના નામ પર ફોન કરીને સભ્યો પાસેથી તેમની અંગત માહિતી માંગી રહ્યા છે અને તેમને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા છે.

EPFO શું છે?

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એ નિવૃત્તિ યોજના છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેનું સંચાલન કરે છે. EPF સ્કીમમાં, કર્મચારી અને તેની કંપની દર મહિને સમાન રકમનું યોગદાન આપે છે. તે કર્મચારીના મૂળ પગારના 12 ટકા છે. સરકારે આ નાણાકીય વર્ષ માટે EPF થાપણો પર 8.1 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો છે.

આવા કોલ્સ કે SMSનો જવાબ ના આપો 

EPFOએ ટ્વિટ કરીને કહ્યું છે કે- “EPFO ક્યારેય તેના સભ્યોને ફોન અથવા સોશિયલ મીડિયા પર આધાર, PAN, UAN, બેંક એકાઉન્ટ અથવા OTP જેવી અંગત વિગતો શેર કરવાનું કહેતું નથી.” આ સિવાય EPFO ક્યારેય પણ કોઈપણ સર્વિસ માટે વોટ્સએપ, સોશિયલ મીડિયા વગેરે દ્વારા કોઈ રકમ જમા કરવાનું કહેતું નથી. આ પ્રકારના કોલ અથવા SMSનો ક્યારેય જવાબ ન આપો.

સાયબર ગુનેગારો KYC વગેરેના નામે લોકોને ફોન કરીને તેમની અંગત વિગતો લઈ શકે છે અને ખોટી રીતે પૈસા ઉપાડી શકે છે.

PFમાં જમા પર વ્યાજ દર

સરકારે ગયા માર્ચમાં પીએફ ખાતામાં જમા રકમ પર વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78માં EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ છે.

કર્મચારીના પગાર પર 12% કપાત EPF ખાતા માટે છે. કર્મચારીના પગારમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવતી કપાતમાંથી 8.33 ટકા EPS કર્મચારી પેન્શન યોજનામાં પહોંચે છે, જ્યારે 3.67 ટકા EPFમાં પહોંચે છે.

6.5 કરોડ લોકો માટે આ મેસેજ છે
6.5 કરોડ લોકો માટે આ મેસેજ છે

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending