--ADVERTISEMENT--

ભરૂચમાં 28 મે સુધી યલો એલર્ટ : વાવાઝોડા સાથે વરસાદની વકી

ભરૂચમાં 28 મે સુધી યલો એલર્ટ
--ADVERTISEMENT--

ભરૂચ : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨/૦૫/૨૦૨૫ થી ૨૮/૦૫/૨૦૨૫ સુધી જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પરીસ્થીતીને ધ્યાનમાં રાખી જનતાની સલામતી માટે નીચેની એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે:

--ADVERTISEMENT--
  1. ઘરના અંદર રહો: ભારે વરસાદ દરમ્યાન અનાવશ્યક બહાર ન જાવ. ખાસ કરીને નદી, નાળા કે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહો. બીન જરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે.
  2. ટોર્ચ-બેટરી, દવા,પીવાનું પાણી, સૂકા ખાદ્યપદાર્થો વગેરે જરૂરીયાતનો જથ્થો હાથવગો રાખવો.
  3. વિજળીના તારથી દૂર રહો: ભીંજાયેલા વીજતાર, વીજ ઉત્પાદન સાધનો કે ખુલ્લા કનેક્શનથી દૂર રહો.
  4. મોટર વાહનો ચલાવતી વખતે સાવધાની રાખો: જો બહાર જવું જરૂરી હોય તો વાહન ધીમે ચલાવો અને પાણી ભરાયેલા રસ્તાઓ ટાળો.
  5. હવામાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. રેડિયો, ટીવી અને અધિકૃત સોશિયલ મિડિયા મારફતે અપડેટ મળતા રહો. અફવાઓથી દુર રહો.

માછીમારો માટે વોર્નિંગ

  1. દરિયામાં ગયેલ માછીમારોને તૂર્ત જ દરિયાકિનારા પર પાછા ફરવા ખાસ જણાવવામાં આવે છે
  2. માછીમારી પ્રવૃતિ માટે દરિયામાં/નદીમાં ન જવા ખાસ જણાવવામાં આવે છે

મીઠાના અગરીયાઓ માટે વોર્નિંગ

  1. મીઠાના અગરમાં કામ કરતા અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવા ખાસ જણાવવામાં આવે છે.

ભરૂચ ઇમરજન્સી સેવા નંબર

  • જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ૦૨૬૪૨-૨૪૨૩૦૦
  • ટોલ ફ્રી નંબર- ૧૦૭૭

Join WhatsApp

Join Now

Leave a Comment