Connect with us

SarkariYojna

વિદ્યાસહાયક ભરતી 2023 , બારડોલી આશ્રમશાળા ભરતી 2023 : વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

વિધાસહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2023 , બારડોલી આશ્રમશાળા ભરતી 2023 હળપતિ સેવા સંઘ, બારડોલી ,સંચાલિત આશ્રમશાળા કરમબેલે તા. ઉમરગામ જિ. વલસાડ, આશ્રમશાળા સોનવાડા તા.જિ. વલસાડ તથા આશ્રમશાળા કાલઈ તા. ઉમરગામ જિ. વલસાડ વિધાસહાયકની ભરતી માટે નીચે દર્શાવેલ લાયકાત ધરાવનાર ઉમેદવારો પાસેથી શાળા વાર અલગ અલગ લાયકાત મુજબ પૂરેપૂરું સરનામું અને બે સંપર્ક નંબર તથા આઈડી પ્રુફ સાથે સ્વપ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની નકલ સહિતની અરજીઓ ફક્ત રજીસ્ટડ એડી દ્વારા જાહેરાત પ્રકાશિત થયેથી ૧૪ દિવસમાં મંગાવવામાં આવે છે. એટલે કે તારીખ :- 07/03/2023 સુધી સ્વીકારવામાં આવશે.પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નીચે આપેલ માહિતીએપ દ્વારા જણાવેલ સરનામે મોકલવાની રહેશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

બારડોલી આશ્રમશાળા ભરતી 2023

સંસ્થાનું નામબારડોલી આશ્રમ શાળા
પોસ્ટનું નામવિધાસહાયક
કુલ જગ્યા07
છેલ્લી તારીખ07/03/2023
અરજી મોડરજિસ્ટર એ.ડી.થી

પોસ્ટનું નામ

  • વિધાસહાયક

શૈક્ષણિક લાયકાત : આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી 2023

  • બી.એ, બી.એડ , બી.એસ.સી. બી.એડ ,પી.ટી.સી,

ઉંમર મર્યાદા

  • જાહેરાતમાં ઉલ્લેખિત નથી.

અરજી ફી

  • ત્યાં કોઈ અરજી ફી નથી.

બારડોલી આશ્રમશાળા ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  1. પત્રાંક જા.નં. મ.ક./ આ.વિ./ એન.ઓ.સી./ ૨૦૨૩/૫૯૦ તાઃ ૧૪-૦૨-૨૦૨૩ મુજબ આ. શાળા કરમબેલે તા. ઉમરગામ, જિ. વલસાડ
  2. પત્રાંક જા.નં. મ.ક./ આ.વિ./એન.ઓ.સી./૨૦૨૩/૫૯૧ તાઃ ૧૪-૦૨-૨૦૨૩ મુજબ આ શાળા સોનવાડા તા. જિ. વલસાડ
  3. પત્રાંક જા.નં. મ.ક./આ.વિ./એન.ઓ.સી./૨૦૨૩/૫૮૨ તાઃ ૧૪-૦૨-૨૦૨૩ મુજબ આ. શાળા કાલઈ તા. ઉમરગામ, જિ. વલસાડ,
  4. જાહેરાત દર્શાવ્યા મુજબ પ્રાથમિક વિભાગમાં વિદ્યાસહાયકમાં TET-1 અને TET- 2 ફરજીયાત પાસ કરેલ હોવા જોઈએ અને તેઓની પરીક્ષાની પરિણામની મુદ્દત શિક્ષણ વિભાગના વર્તમાન ઠરાવ મુજબની જોગવાઈ રહેશે.
  5. અધુરી વિગતવાળી તથા જાહેરાત મુજબની લાયકાત ન ધરાવનાર ઉમેદવારની અરજીઓ રદ થવા પાત્ર રહેશે.
  6. આશ્રમશાળાઓ નિવાસી શાળા હોવાથી બાળકોના નિવાસ સાથે ફરજ પરના તમામ કર્મચારીઓએ ફરજિયાત સ્થળ પર નિવાસ કરવાનું રહેશે,
  7. અનામત જગ્યા પર અરજી કરતાં અરજદારે સક્ષમ સત્તાધિકારીનું જાતિ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે.
  8. શિક્ષણ વિભાગ ગુ. રા. ગાંધીનગરના સુધારા ઠરાવ બમશ/૧૧૫૫/૨૨/ગતા. ૧૯/૦૨/૨૦૧૯ મુજબ વિદ્યાસહાયક રૂ. ૧૯૯૫૦/- (અંકે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ) માસિક ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે. સંતોષકારક રીતે પાંચ વર્ષ પૂર્ણ ક્યાં બાદ પુરા પગાર ધોરણમાં સમાવેશ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
  9. સરકારશ્રીના ઘારા ધોરણ મુજબ વખતો વખતના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહીં જણાય તો પાંચ વર્ષ પહેલાં પણ વિધાસહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.
  10. આશ્રમશાળા ૫૦% કન્યાઓને પ્રવેશ આપવામાં આવે છે તેથી મહિલા શિક્ષિકાઓને ગૃહમાતા અને શિક્ષકોએ ગૃહપતિ તરીકે ફરજીયાત ફરજ નિભાવવાની રહેશે.
  11. માનનીય કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પરિપત્ર નંબર આવિ/ આશા ફાઈલ નં. | ૨૩૩૦ ૨૦૧૯/ ૨૦૨૦ થી ૨૦૬૦ તારીખ ૩૦-૧૧-૨૦૧૯ અન્વયે શિક્ષકોને વિનામૂલ્યે રહેઠાણની સુવિધા આપવામાં આવશે.
  12. કોમ્પ્યૂટરના ઉપયોગ અંગેની પાચાની જાણકારી ધરાવતા હોવા જોઈએ.
  13. ઉમેદવારોએ રજીસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે. કવર ઉપર કઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવાનું રહેશે. સાદી ટપાલથી કે રૂબરૂ કે મુદત કરતા મોડી આવેલ અરજી સ્વીકારશે નહીં.
  14. ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડ, નનકવાડા વલસાડ ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાને અરજી મોકલશે અને મંડળને નહીં મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.
  15. ફક્ત મેરીટમાં નામ આવવાથી કોઈપણ ઉમેદવાર નિમણૂંક માટે હક્ક દાવો માંડી શકશે નહીં.
  16. સરકારી અનુદાનિત બોર્ડી કોર્પોરેશન સંસ્થાના કર્મચારી હોય તો સક્ષમ અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર અરજી સાથે સામેલ કરવાનું રહેશે.
  17. પસંદગી બાબતે જિલ્લા પસંદગી સમિતિ નો નિર્ણય આખરી રહેશે,
  18. જે ઉમેદવારના ગુણપત્રકમાં યુનિવર્સીટી દ્વારા ગ્રેડ – C.G.P અથવા S.G.P. દર્શાવેલ છે તેવા ઉમેદવારોએ યુનિવર્સીટી કે કોલેજમાંથી તમામ વર્ષ કે સેમેસ્ટરના કુલ ગુણમાંથી મેળવેલ ગુણનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

અરજી મોકલવાનું સરનામું :

  • ઉમેદવારોએ રજિસ્ટર એ.ડી.થી આશ્રમશાળા મુજબ અલગ અલગ અરજી કરવાની રહેશે.
  • પ્રમુખશ્રી, હળપતિ સેવા સંઘ કામદાર ઘર, સ્ટેશન રોડ, બારડોલી જિ: સુરત પિનઃ ૩૯૪૬૦૧
  • ઉમેદવારોએ અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી (આશ્રમશાળા) વલસાડ જિલ્લા આદિજાતિ સેવા સદન, ચોથો માળ, સિવિલ રોડ, નનકવાડા વલસાડ ૩૯૬૦૦૧ ને મોકલવાની રહેશે. જો કોઈ ઉમેદવાર આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમશાળાને અરજી મોકલશે અને મંડળને નહીં મોકલશે તો અરજી રદ થવા પાત્ર રહેશે. ઉમેદવારે ફક્ત મંડળને મોકલેલી અરજી માન્ય ગણાશે.

બારડોલી આશ્રમશાળા ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

  • 07/03/2023

બારડોલી આશ્રમશાળા ભરતી 2023 મહત્વપૂર્ણ લિંક :

આશ્રમશાળામાં વિદ્યાસહાયક જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

બારડોલી આશ્રમશાળા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

આશ્રમશાળા બારડોલી ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 07/03/2023 છે.

બારડોલી આશ્રમશાળામાં વિદ્યાસહાયક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે

બારડોલી આશ્રમશાળા ભરતી 2023
બારડોલી આશ્રમશાળા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending